માળીયા મિંયાણા પોલીસ મથકમાં અલગ અલગ સમયે થયેલ બે હત્યા કેસ તેમજ પ્રોહીબીશન કેસનો આરોપી સુનીલ લાભુ કોરડીયા મોરબી જીલ્લા જેલમાં બંધ હતો જે બાદ આરોપીને હાઇકોર્ટમાંથી 2 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધીના શરતી જામીન આપવામાં આવ્યા હતા અને 10ના રોજ ફરી જેલમાં હાજર થવા સુચના આપવામાં આવી હોવા છતાં આરોપી સુનીલ શરત ભંગ કરી ફરાર થઇ ગયો હતો જે બાદ મોરબી એલસીબીની ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને મોરબી તાલુકાના મધુપુર ગામેથી ચોક્કસ બાતમી આધારે રેડ પાડી ગામમાંથી ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરી ફરી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી

