બ્રિટનની મહારાણી એલિજાબેથ 2 ના અવસાન બાદ દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા 1 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો જેને પગલે દેશભરમાં જ્યા જ્યાં પણ કાયમી ધોરણે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે તે તમામ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકવવા કેન્દ્ર સરકાર દ્વારા સુચના આપવામાં આવતા મોરબી પાલિકા દ્વારા ઉમિયા સર્કલ ખાતેના 108 ફૂટની ઉંચાઈએ ફરકાવેલ રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવ્યો હતો.

