વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ વધી ગયા છે.પીએમ.મોદી તા.27 અને 28 ઓગસ્ટ ના બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે જેમાં 27 મીએ સાબરમતી રિવરફ્રન્ટ પર આવશે તો 28 મી એ કચ્છ જિલ્લાના પ્રવાસ પર આવશે પીએમના પ્રવાસને લઈ રાજયભરમાથી લોકોને એકઠા કરવા પ્રદેશ ભાજપ અને રાજય સરકાર સક્રિય બન્યું છે અને તેના કારણે એસટી બસ તેમજ ખાનગી વાહનો અમદાવાદ અને કચ્છ તરફ રવાના કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાંથી પણ આગામી 27 અને 28 ઓગસ્ટના કાર્યક્રમ માટે 20 જેટલી એસટી બસ ફળવવવામાં આવી છે. જેના કારણે મોરબીના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી અનેક ટ્રીપ રદ થસે તો 20 જેટલા ગામમાં એસટી બસ રાત્રી રોકાણ કરી સવારે મોરબી આવતી હોય છે તે રાત્રી રોકાણ પણ કેન્સલ કરવામાં આવ્યું છે.

