ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આંધ્ર પ્રદેશના તિરુપતી ખાતે આયોજિત રાષ્ટ્રીય લેબર કોન્ફરન્સમાં ગુજરાત સરકારના શ્રમ કોશલ્ય અને રોજગાર મંત્રી બ્રીજેશ મેરજાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી કોન્ફરન્સમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે.
આ કોન્ફરન્સને કેન્દ્રિય શ્રમ રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવ સહિતના મહાનુભાવ સંબોધન કરશે. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુલ જોડાશે. મંત્રી મેરજા આ કોન્ફરન્સમાં ગુજરાત સરકાર દ્વારા ભુપેન્દ્ર પટેલના મર્ગદર્શનમાં લેવાયેલ શ્રમીકોના કલ્યાણ અર્થે લેવાયેલ પગલા અને યોજના અંગે માહિતી આપશે

