વિધાનસભા ચુંટણીના પડઘમ વચ્ચે રાજ્યના પોલીસ વિભાગમાં ઇન્સ્પેકટરની બદલીનો દૌર શરુ થઇ ગયો છે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા રાજ્યના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા બિનહથીયારધારી 55 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે આ આદેશ મુજબ રાજકોટ સીટીમાં ફરજ બજાવતા કે એ વાળાને મોરબી જીલ્લામાં મુકવામાં આવ્યા છેઆં ઉપરાંત એ એસ ચાવડાને ગીર સોમનાથ,જે એમ ઝાલાની રાજકોટ શહેરમાંથી સીડીઓમાં મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત દ્વારકા પોલીસ મથકના પી આઈ જી આર ગઢવીને અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે. આ સિવાય અઅમદાવાદ વડોદરા,સુરત,કચ્છ, ભરૂચ,જામનગર,જુનાગઢ, પાટણ સહિતના અલગ અલગ જિલ્લાના પોલીસ મથકમાં ફરજ બજાવતા બિન હથીયાર ધારી પોલીસ ઇન્સ્પેકટરની બદલીનો આદેશ કરવામાં આવી છે

