ભાવનગરમાં બનશે 24 કિમીનો રીંગરોડ જે માટે હવે સરકારે મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા તેજ ગતિએ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઇ રહ્યું છે. રાજકોટ, નવસારી, અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી રહી છે.
ટ્રાફિક હળવો થશે: ભાવનગરમાં જે ટ્રાફિકની સમસ્યા છે તેનુ હવે જલદીથી જ નિરાકરણ આવી જશે. કારણ કે રાજ્ય સરકાર દ્વારા વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગરમાં રીંગ રોડના પ્રશ્નનું નિરાકરણ લાવવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એ જાહેરાત કરી છે. નવા બંદરથી ટોપ થ્રી અને માલંણકા સુધી 297 કરોડના ખર્ચે રીંગ રોડ બનાવવામાં આવશે.

