રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિનું સર્જન થયું છે. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ભારે વરસાદ વરસતા પુર આવ્યું હતું. પુરના કારણે લોકોના ઘરો પાણીમાં તણાઈ ગયા હતાં. આ ઘટનાના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. તેમજ અધિકારીઓ સાથે બેઠક કરીને જરૂરી સુચના આપવામાં આવી હતી.

છોટાઉદેપુરમાં બોલેડી તાલુકામાં મેઘ તાંડવની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોડેલીમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. જ્યાં તેમણે અસરગ્રસ્ત પરિવારો સાથે પણ મુલાકાત કરી તેમની તકલીફો વિશે માહિતી મેળવી અને તેમના હાલચાલ પૂછી તમામ જરૂરી મદદ પહોંચાડવા આશ્વાસન આપ્યું હતું. મુખ્યમંત્રીએ હવાઈ નિરિક્ષણ કરીને પૂરગ્રસ્ત સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સીએમે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. સીએમ સાથે વિપક્ષના નેતા સુખરામ રાઠવા પણ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત બોડેલી ખાતે વર્ધમાનનગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળીને વરસાદે વેરેલા નુક્સાન તથા વહીવટી તંત્ર દ્વારા કરવામા આવેલા બચાવ-રાહત કાર્યો, આશ્રય સ્થાનોની વ્યવસ્થા અંગે વિગતો મેળવી હતી. pic.twitter.com/hDpjZRkbbj
— CMO Gujarat (@CMOGuj) July 12, 2022
બોડેલીમાં પૂર અસરગ્રસ્તોની મુલાકાતે મુખ્યમંત્રી આવે તે પહેલા જ વિપક્ષના નેતા સુખરામ રાઠવા આવી પહોંચ્યા હતા. સીએમ આવે તે પહેલા તેમણે બોડેલીના દિવાન ફળિયા, રજાનગર અને વર્ધમાન સોસાયટીના રહીશોની મુલાકાત લીધી હતી. પૂર અસરગ્રસ્તોને સરકાર તરફથી કોઈ મદદ ન મળતા તાત્કાલિક સરકાર મદદરૂપ થાય તેવી માંગ કરી હતી.

