મોરબી શહેરમાં આજે અષાઢીબીજ નીમેતે મચ્છુ માતાની શોભાયાત્રા નીકળી હતી.આ યાત્રા મહેન્દ્રપરા પાસે આવેલ મચ્છુ માતાની જગ્યાએથી રામઘાટ ખાતે આવેલ મચ્છુ માતાના મંદિર ખાતે રથયાત્રા યોજાઈ હતી આ દરમિયાન નહેરુગેટ ચોકથી અંદર પહોચી તે દરમિયાન એક દુકાનના દીવાલનો એક પિલર ધડાકાભેર તૂટી પડયો હતો અને ત્યાંથી નીકળતા ભાવિક પર પડતા એક વ્યક્તિને ઈજા પહોચી હતી આ ઘટના વખતે વધુ લોકો હાજર ન હતા તેમજ જ્યાંથી પિલર તુટ્યો તેની ઉચાઇ વધુ ન હોવાથી ગંભીર ઘટના બની ન હતી અને સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી
પાલિકાની સિવિલ એન્જીનીયર તેમજ અન્ય બે લોકોની ટીમે પણ સર્વે કર્યો હતો.જોકે પાલિકાની આ ટીમને એક પણ જર્જરિત દેખાયો ન હતો તો પાલિકાની આ ટીમ દ્વારા કેવો સર્વે કરાયો તે પણ એક સવાલ છે. આ આ રથયાત્રા પૂર્વે પોલીસે ત્રણ દિવસ ફૂટ પેટ્રોલિંગ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હોવાના દાવા છતાં આ દીવાલના પિલરતૂટી પડ્યો હતો અને એક વ્યક્તિને ઇજા પહોચી હતી

