ભારતીય જનતા પાર્ટીએ 150થી વધુ સીટો જીતવાનો લક્ષ્ય રાખ્યો છે. આ માટે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ચૂંટણીની વિવિધ રણનીતિઓ બનાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્તર ઝોનની 59 વિધાનસભા સીટોના પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે.

કોણ કોણ પ્રભારી: અમદાવાદ, ગાંધીનગરની વિધાનસભા સીટોનો પણ સમાવેશ થાય છે. ભાજપની જાહેરાત પ્રમાણે ડો. ઋત્વિજ પટેલને કલોલ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. ડો પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલને પાટણ, આશીષ દવેને વાવ અને ડો. સંજય દેસાઈને ભુજ બેઠકના પ્રભારી બનાવવામાં આવ્યા છે.



