કોડીનાર તાલુકાના જત્રાખડી ગામમાં 8 વર્ષની બાળકી સાથે એક નરાધમે દુષ્કર્મ આચર્યું હતું અને તેની હત્યા કરી ફરાર થઇ ગયો હતો આ બનાવમાં સ્થાનિકોના ઉગ્ર દેખાવ બાદ પોલીસ સક્રિય બની હતી અને આરોપીને ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો આ બનાવનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે અને આરોપીને કડક સજા કરવા માંગણી થઇ રહી છે ત્યારે મોરબીમાં પણ દશનામ ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું અને આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી હતી

