હળવદ પંથકમાં ચોરી લુંટ અસહિતના બનાવમાં મોટા પાયે વધારો આવ્યો છે. સમગ્ર પંથકમાં એક સપ્તાહમાં 12 જેટલી ચોરીની ઘટના બનતા લોકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. અને ચોર ગેગ ને ઝડપી લેવાની માંગ સાથે હળવદ બંધનું એલાન આપ્યુ હતું જે બાદ પોલીસ વડા પણ એકશનમાં આવ્યા અને તુરત થાણા અધિકારીની બદલી કરી હતી.હાલ હળવદ પંથકમાં લોકોનો વિશ્વાસ ગુમાવી બેસેલી પોલીસે ફરી લોકોને વિશ્વાસમાં લેવા બેઠકનું આયોજન કર્યું હતું જેમાં આસપાસના ગામના સરપંચો રાજકીય અને સામાજિક આગેવાનોને સાથે રાખી બેઠક કરી હતી અને તમામ લોકોના સહકારથી લોકોને પકડી જેલ હવાલે કરશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો

