હળવદના કૃષ્ણનગરમાં રહેતા એક આધેડની પત્નીનું અવસાન થતા લાગી આવ્યું હતું અને વાડી પાસે ઝાડની ડાળી સાથે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો નાવ અંગે મળતી માહિતી મુજબ હળવદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા પ્રેમજી મોતીભાઈ ચાવડાના પત્નીનું કોઈ કારણસર મોત થયા બાદ યુવક માનસિક બીમાર જેવો થઇ ગયો હતો અને પત્નીના વિયોગમાં ગુમસુમ રહેવા લાગ્યા હતા દરમિયાન ગઈ કાલે ગામની વાડીના ઝાડ સાથે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો બનાવ બાદ મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

