રાજ્યમાં માર્ચ 2022 માં લેવાયેલ બોર્ડ પરીક્ષાનું ગુરુવારે પરિણામ જાહેર થયું હતું.જિલ્લામાં 15 છાત્રોને A1 ગ્રેડ મળ્યા હતા જેમાંથી મોરબીની નવયુગ વિદ્યાલયનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે શાળાનું 89.65 ટકા પરિણામ આવ્યું છે. શાળાના ૩ છાત્ર મહેતા ખુશી ધીરેનભાઈ .ગામી ધ્રુવી હિતેશભાઈ તેમજ કલોલા વિશ્વાસ કિશોરભાઈને A1 ગ્રેડ મળ્યો હતો આ ઉપરાંત શાળાના 37 છાત્રોને 90 ટકા પીઆર મળ્યા હતા.
આ ઉપરાંત ગુજકેટમાં શાળાનું પરિણામ સરાહનીય રહ્યું છે શાળાના 7 છાત્રોને `120માંથી 100 માર્ક મળ્યા છે.તો 21 છાત્રોએ 90 પીઆર મેળવ્યા હતા શાળાના આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળાના પ્રમુખ પી ડી કાંજીયા,શાળાના સાયન્સ ફેકલ્ટીના સ્ટાફ તેમજ શાળા પરિવાર દ્વારા તમામ બાળકોને શુભેચ્છા પાઠવી હતી.

