મોરબી તાલુકાના શાપર ગામ નજીક આવેલ જસવંતગઢ ની સીમમાં રવિવારે એક પરિણીત યુવક અને પરિણીત યુવતીએ લીમડા ડાળ સાથે ફંદો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવ બાદ બન્નેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના શાપર ગામે જસવંતગઢની સીમમાં નવઘણભાઈ હરખાભાઈ પાંચિયા નામના 24 વર્ષના યુવાન અને મહિલાનું નામ ગીતાબેન અમરાભાઈ ભૂંડિયા નામના 20 વર્ષ ની યુવતીએ રવિવારે ગામની સીમમાં આવેલા લીમડાના ઝાડ સાથે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક બન્ને પરણિત હોવાનું સામે આવ્યું છે અને બન્ને પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યું કે અન્ય કોઈ કારણસર આ પગલું ભર્યું તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

