મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા રહેતી અર્ચનાબેન ખીમજીભાઈ કૈલા ગત 26 એપ્રિલના રોજ અચાનક ગુમ થઇ જતા પરીજનોએ શોધખોળ હાથ ધરી હતી.જોકે કોઈ પત્તો ન લાગતા અંતે પરીજનોએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતીફરિયાદ બાદ યુવતીની પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન અર્ચનાબેન સુરતથી મળી આવી હતી.જોકે સુરત જવા અંગે પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું હતું અર્ચનાબેને પ્રેમ લગ્ન કર્યા હતા અને પરિજનોએ સ્વીકાર કરતા પતિ સાથે સુરત રહેવા જતી રહી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે હેડ કોન્સ્ટેબલ જે જે ડાંગર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

