HomeGujaratગુજરાતના પ્રભારી કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, ચૂંટણીની ઘડાશે રણનીતિ

ગુજરાતના પ્રભારી કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, ચૂંટણીની ઘડાશે રણનીતિ

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાડાઈ રહ્યું છે. વડાપ્રધાન મોદી પણ મુલાકાતે આવ્યાં હતાં. ત્યારે હવે ભાજપના ગુજરાતના પ્રભારી કાલથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પ્રભારી મુખ્યમંત્રી તથા સંગઠન અને નેતાઓ સાથે મુલાકાત કરીને આગામી ચૂંટણીની રણનીતિ ઘડશે.

પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ 21 એપ્રિલે ગુજરાત આવશે. તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પ્રભારીની મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના સભ્યો બેઠકમાં હાજરી આપશે. સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવશે., મહત્વનુ છે કે ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ પહેલી વાર ભૂપેન્દ્ર પટેલ ગુજરાત આવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW