માળિયા તાલુકાના ખાખેરેચી ગામમાં રહેતી તેજલબેન નામની પરણીતાને તેના સાસરિયામાં પતિ ગોપાલભાઈ નવઘણભાઈ કોળી સસરા નવઘણ પ્રભુભાઈ કોળી સાસુ વનીતાબેન સહિતના અવાર નવાર ઘર કામ બાબતે મેણાટોણા મારતા હતા. તેમજ તેની સાથે ઝઘડો કરી માનસિક ત્રાસ ગુજારતા હતા. જે બાબતે લાગી આવતા તેજલ બેને ત્રાસી જઈ આપઘાત કરી લીધો હતો આ બનાવના મૃતકના પિતા ભટુભાઈ ઘોઘાભાઇ રાઠોડે માળિયા મીયાણા પોલીસ મથકમાં દીકરીના પતિ સાસુ સસરા વિરુદ્ગ્દ્ગ મરવા મજબુર કર્યા અંગેની ફરિયાદ નોધાવી હતી પોલીસે આં અંગે ફરિયાદ નોધી આરોપી પતિ ગોપાલ તેમજ સસરા નવઘણભાઈની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

