માળિયા મિયાણાના જુના ઘાટીલા ગામમાં સવિતાબેન પ્રવીણભાઈ નાયકા ગત 17 માર્ચના રોજ સવારે ચૂલામાં રસોઈ બનાવતી વખતે અકસ્માતે દાઝી ગઈ હતી હતી.જે બાદ મહિલાને પ્રથમ મોરબી સારવાર અર્થે ખસેડી હતી અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતા.જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે મૃતકના પતિ પ્રવીણભાઈ કાળુભાઈ નાયકાના નિવેદન આધારે અકસ્માત મોત અંગે નોધ કરી માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

