90 ના દાયકા દરમિયાન કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી પંડીતો પર હુમલા કરી એક ષડ્યંત્રના ભાગરૂપે ભગાવી દેવામાં આવી હતી આ ઘટનાની ઝાંકી રજુ કરતી ફીલ્મ કાશ્મીર ફિલ્મ બની છે. ત્યારે દરેક નાગરિક આ ફિલ્મ જુએ તે માટે મોરબી શહેરના પૌરાણિક કુબેરનાથ મંદિર દ્વારા કાશ્મીર ફાઈલ્સ જવા લોકોને પ્રેરણા મળે તે માટે અનોખી પહેલ કરી છે. અને મંદિરના નોટીસ બોર્ડમાં એક લેખિત જાહેરાત કરવામાં આવી છે જેમાં કાશ્મીર ફાઈલ્સની ટીકીટ બતાવનાર ભક્તના મંદિરમાં નિ:શુલ્ક દૂધ જલ અપર્ણ કરી આ નિશુલ્ક દૂધ જલ અર્પણની જાહેરાત 30 દિવસ પુરતી રાખવામાં આવી છે. જેથી ભક્તોને શિવ ભક્તિ સાથે સાથે દેશ ભક્તિ જગાવવા ફિલ્મ જોવા અપીલ કરવામાં આવી છે.

