આજે ઈન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતિ છે. ત્યારે ભાજપના જ એક ધારાસભ્યે સોશયલ મીડિયામાં મુકેલી પોસ્ટમાં ઈન્દુલાલ યાજ્ઞિકના સ્થાને તેમના બદલે મોરારજી દેસાઈનો ફોટો અપલોડ કરતા સોશયલ મીડિયામાં બરાબરના ટ્રોલ થયા છે.
સુપ્રસિદ્ધ ગુજરાતી લેખક અને ગુજરાતની અસ્મિતાના સ્વપ્નદ્રષ્ટા શ્રી ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકજી (ઈન્દુ ચાચા) ને જન્મ જયંતી નિમિતે સાદર નમન. pic.twitter.com/R7jgtGXYIg
— Babubhai Patel (@babubhaibjp) February 22, 2022
ભાજપના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સોશયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી હતી. જે પોસ્ટ હવે વિવાદનું કારણ બની ગઈ છે. તેની પાછળનું કારણ એ છે કે તેમણે ઈન્દુચાચાની જન્મજયંતીની શુભકામનાઓ પાઠવી હતી. પરંતુ સોશયલ મીડિયામાં ઈન્દુચાચાને બદલે મોરારજી દેસાઈનો ફોટો શેર કર્યો હતો. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા પણ મોટુ રિએક્શન આપ્યું છે. જેમાં કોંગ્રેસ પ્રવક્તા મનિશ દોશીએ બાબુભાઈ પટેલના અજ્ઞાન અંગે કટાક્ષ કર્યો હતો. સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે, ગુજરાતની અસ્મિતાના વ્યક્તિ ઈન્દુચાચાને આજે ભાજપ ઓળખી શકતી નથી.

આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગૌચરની જમીન અને સર્વે નંબર યાદ રહેશે. સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે, ગુજરાતની અસ્મિતા માટે લડનારને ભુલી જાય છે અને ભાજપ કહે છે કે તેમના સભ્યો જમીન સાથે સંકળાયેલા છે. સોશયલ મીડિયા ઉપર ધારાસભ્ય બાબુ જમનાની પોસ્ટ વાઈરલ થઈ છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે.

