મોરબી તાલુકાના થોરાળા ગામના પાટિયાથી ગામને જોડતો માર્ગ લાંબા સમયથી જર્જરિત હતો જેના કારણે મોરબી કામધંધા માટે તેમજ ખરીદી માટે આવતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.જે અંગે સમયાંતરે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં રજુઆત થયા બાદ અહી રોડનું કામ મંજુર થયું હતું હાલ આ થોરાળા ગામના પાટીયાથી ગામ સુધીના માર્ગનું કામ પૂર્ણ થતાં ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ હતી.આ તકે ગામના સરપંચ અમૃતભાઈ અંબાણી તેમજ ગ્રામજનોએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટાયેલ સદસ્યો અનેહોદ્દદારો રોડનું કામ કરનાર એજન્સીનો આભાર વ્યક્ત કર્યો હતો.

