લગ્ન પ્રસંગ દરમિયાન લોકો લખલુંટ ખર્ચ કરવામાં આવે છે તેમાં પણ દેખા દેખીના કારણે ઘણા બધા પરિવાર એવા હોય છે જેની કેપેસિટી ન હોવા છતાં મસમોટું દેવું કરીને આવા ખર્ચ કરતા હોય છે.આવા ખર્ચ અટકાવવા પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્નની પહેલ કરી હતી અને આ પહેલમાં ઘણા બધા પરિવાર જોડાયા છે ત્યારે આ પહેલા વધુ ઝડપથી આગળ વધારી માળીયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 17 ઘડિયા લગ્ન યોજાયા હતા. આ ઘડિયા લગ્ન જેતપર, જુના દેવળીયા, મોરબી, રાજપર, ઉમા ટાઉનશીપ, મહેન્દ્રનગર, બિલેશ્વર મંદિર, ખેવારીયા, આમરણ અને નેસડા વગેરે જગ્યાએ યોજાયા હતા. આ લગ્નોત્સવમાં જોડાયેલા નવદંપતીઓને બિરદાવી સમિતિના સભ્યો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.

