મોરબીના વાવડી રોડ વિસ્તારમાં એક બિન વારસુ વાછડી પર કુતરાઓએ હુમલો કરી દીધો હતો અને કાણના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.જે બાદ કાનના ભાગે સડો થવા લાગતા વાછડું પીડાતું હોવાથી યશપાલ ભાઈ નામના સ્થાનિકે 1962 એનિમલ હેલ્પ લાઈનમાં ફોન કરી સારવાર માટે જાણ કરતા મોરબી લોકેશનની 1962 ટીમના ડો.વિપુલ કાનાણી તેમજ પાઇલોટ પ્રવિણસિંહ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વાછડીની સારવાર કરી પીડા મુક્ત કરી હતી

