HomeGujaratપિતાની અધુરી લખાયેલ આત્મકથા પુત્રએ પૂર્ણ કરી, પુસ્તક બનાવી શ્રદ્ધાંજલી આપી

પિતાની અધુરી લખાયેલ આત્મકથા પુત્રએ પૂર્ણ કરી, પુસ્તક બનાવી શ્રદ્ધાંજલી આપી

મોરબીની દોશી હાઈસ્કુલમાં શાળામાં ફરજ બજાવી ચુકેલા શિક્ષક સ્વ જે ટી મકવાણા તેમના જીવતા આત્મકથા લખતા હતા જોકે આકસ્મિક રીતે અવસાન થયા બાદ તેમની આત્મકથા અધુરી રહી હતી આ અધૂરું હોય તેમ 1979ના જળ હોનારતમાં આ આત્મકથનના ઘણા બધા પેજ પલળી ખરાબ થઇ ગયા હતા.જે ટી મકવાણાના પુત્ર અને ગુજરાત કેન્દ્રીય યુનીવર્સીટીના પ્રોફેસર રાજેશભાઈ મકવાણાએ આ બાકી રહેલા પેજ સાચવી રાખ્યા હતા અને તેને પુસ્તક રૂપે પ્રકાશિત કરવાની ઈચ્છા થઇ હતી જેથી તેમણે પોતાના પ્રોફેસર તરીકેનો અનુભવનો ઉપયોગ કરી પિતાની આત્મકથન પૂર્ણ કરી “અડધી રાત્રે અંધારું ” નામની પુસ્તક પ્રકાશિત કરી છે અને પિતાની 40મી પુણ્યતિથીએ વિમોચન કરી શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કર્યું છે.

9 ફેબ્રુઆરીના રોજ ભડિયાદ રોડ પર આવેલ તથાગત બુદ્ધ કમ્યુનીટી હોલ ખાતે પિતાની 40 મી પુણ્યતિથીએ પ્રોફેસરપુત્ર દ્વારા તેનું વિમોચન કરવાનું આયોજન કર્યું છે. આ પ્રસંગે જાણીતા કવિ સંજુ વાળા,ડો. રતિલાલ રોહિત,ડો.જે.એમ.ચંદ્રવાડીયા, ડો.સુનીલ જાદવ સહિતના આગેવાનો હાજર રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW