મોરબી જિલ્લામાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલા વિસીપરાના અબુ ફતેમામદ કટીયાના કારણે કાયદો વ્યવસ્થા સ્થિતિ બગડે તેવી સંભાવનાને લઇ જિલ્લા પોલીસ દ્વારા આરોપીને અનય જિલ્લામાં ખસેડવા દરખાસ્ત કરી હતી જે બાદ આરોપીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અબુભાઇ કટીયાને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ-ભુજ જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો હતો આરોપીને હદપાર કરાયો હોવા છતાં મોરબીમાં આવતા જતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મોરબીના અમરેલી રોડ ઉપર યમુનાપાર્ક જવાના રસ્તે નિધીપાર્કની પાછળથી ઝડપી લીધો હતો અને આરોપી હદપારી હુકમનો ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી

