મોરબી માળિયા હાઈવે પર દાદાશ્રી નગર પાસે લખુભાઈ જીવાભાઈ કાનગડને એક અજાણ્યા ટ્રકના ચાલકે ઠોકર મારી નીકળી ગયો હતો. ઘટનામાં લખુભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે મોત થયાનું જાહેર કર્યું હતું .જે બાદ મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ પબાભાઈ કાનગડે તાલુકા પોલીસ મથકે અજાણ્યાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હતી

