મોરબી જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર ઘરમાં મંદિરમાં કે દુકાનોને તસ્કર નિશાન બનાવે છે તાજેતર માં ચરાડવા પાસે આશ્રમમાં તો અન્ય એક ગામમાં હનુમાન મંદિરમાં તાળા તૂટ્યા હતા આ ઉપરાંત મોરબીના સુપર સિનેમા વિસ્તારમાં પણ એક સાથે ૫ દુકાનના તાળા તૂટ્યા હતા.

આ સીવાયઆ જ ગામમાં 6 દિવસ પહેલા ચોરીનો બનાવ બન્યો હતો. હજુ આ ચોરીની ઘટનામાં પોલીસ તપાસ કરી આરોપીઓ સુધી પહોચે તે પહેલા મોરબીના આમરણમાં તસ્કરો ત્રાટક્યા હતા અંને જુના આમરણ ખાતે આવેલ ગાંધી ચોકમાં રવીરાંદલ એન્ટર પ્રાઈઝ,એડવોકેટ વિમલ માંનસેતા સહીત ૫ જેટલી દુકાનના તાળા તૂટ્યા હતા તસ્કરોએ એડવોકેટ ઓફિસમાં ફાઈલો ઉથલ પાથલ કરી હતી તો કરિયાણાની દુકાનમાં પણ જે પણ ખાદ્યસામગ્રી અને સમાન હાથમાં આવ્યો તેના પર હાથ સાફ કરી જતા રહ્યા છે.હાલ આ ઘટનામાં પોલીસ મથક સુધી ફરિયાદ નોધાઈ નથી

