હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીને એક ખંડણી ખોર શખ્સ દ્વારા ખંડણી માગવામાં આવી હતી તેમજ ધાક ધમકી આપી પોલીસને પણ પડકાર ફેક્યો હતો આ ઘટના બાદ વેપારીઓએ સામહિક રીતે ધંધો રોજગાર બંધ રાખ્યો હતો વેપારીઓની વીજળીક હડતાળથી પોલીસ પર દબાણ વધ્યું હતું જેતે વખતે ડીવાયએસપી રાધિકા ભારાઇ,પી આઈ જાડેજા અને એલસીબી પીએસઆઈ ડાભી સહિતના અધિકારીઓએ વેપારીઓની સાથે બેઠક કરી હતી. અને 25 ડીસેમ્બર સુધીમાં ખંડણી માગનાર શખ્સને ઝડપી લેશે જેથી વેપાર ધંધા ફરીથી શરુ કરવા મનાવ્યા હતા.પોલીસના આશ્વાસન બાદ વેપારીઓએ દુકાનો શરુ કરી દીધી હતી જોકે મુદત પૂર્આણ થવા છતાં આરોપી ન ઝડપાતા આજે વેપારીઓએ ફરીવાર યાર્ડ ચેરમેનને આવેદન આપી સોમવારથી સામુહિક રીતે વેપાર ધંધા બંધ કરવાની ચીમકી આપી હતી

