મોરબીની નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદી અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત આજ રોજ પોસ્ટ કાર્ડ પત્ર લેખન સ્પર્ધાનું આયોજન સિનિયર સુપ્રિ. ઓફ પોસ્ટ ડિવિઝન રાજકોટના એમ.કે.પરમાર અને ડેપ્યુટી સુપ્રિ.અને નોડલ ઓફિસર રાજકોટ સુરેન્દ્ર સિઘંલ સુચના મુજબ નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર મોરબી ના પ્રમુખ પી.ડી.કાજીયા આચાર્ય વાય.કે.રાવલ ના માર્ગદર્શન હેઠળ ધોરણ 4 થી 12 ના વિધાર્થીઓ માટે પોસ્ટ કાર્ડ પત્ર લેખન સ્પર્ધા યોજાઈ હતી.

1 આઝાદી ના લડવૈયા અથવા મારા સ્વપ્નનું ભારત 2047 એ વિષય પર આધારિત પત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ને દિલ્હી લખેલ આ કાર્યક્રમનું સફળતા પુર્વક સંચાલન વાય.કે.રાવલ તુષારભાઈ પૈઝા પ્રકાશભાઈ ગુગડીયા શુકલા ભાઇ હિનેશભાઈ ભાલોડીયા અંકિતાબેન અને મોરબી પોસ્ટ ઓફિસના પોસ્ટ ઇન્સ્પેક્ટર જે.આર.રાવલ સહિતના ઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

