અમદાવાદ, બુધવાર
સ્ટેટ GST ડિપાર્ટમેન્ટ દ્વારા ભાવનગરમાં બોગસ બિલિંગ કૌભાંડમાં પાડવામાં આવેલા દરોડામાં રાજકોટના ઉત્કર્ષ ઇસ્પાત નામની પેઢી સંકળાયેલી હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન નીરજ આર્ય ફરાર થઇ ગયાે હતાે.
GST અધિકારીઓએ તેને ભાગેડું જાહેર કરી તેની મિલકત ઉપર ટાંચ મુકવામાં આવ્યું હતું. નિરજ જ્યદેવ આર્યા નડિયાદની મૂળજીભાઇ પટેલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ ગયા હતા. જેની જાણ જીએસટી અધિકારીઓને થતા અધિકારીઓ નડિયાદની હોસ્પિટલ પર પહોંચી ગયા હતા. હોસ્પિટલના પત્ર મુજબ નિરજની મેડિકલ પરિસ્થિતિ સુધારા પર હોવાથી અધિકારીઓએ તેની ધરપકડ કરીને અમદાવાદ લઇ આવ્યા હતા. (તસ્વીર પ્રતિકાત્મક છે)

