દાહોદ જિલ્લાના ફતેપુરા ગામની એક 35 વર્ષની મહિલા અને 6 સંતાનની માતા તેના એક 14 વર્ષના સગીરને ભગાડી ગઈ હતી.સગીર તેના પતિના મિત્રનો દીકરો હોવાથી સંપર્કમાં આવી હોવાનું સામે આવ્યું છે.બન્ને ગાંધીનગરમાં હોવાની જાણ થતાં પરિજનો બન્નેને ગાંધીનગરથી પકડીને લાવી રહ્યા હતા પરંતુ સંતરામ બસ સ્ટેન્ડ પાસેથી બન્ને ચકમો આપી ફરી ભાગી છૂટ્યા હતા.જે બાદ કિશોરના પિતાએ પોલીસ મથકમાં અરજી આપી હતી.
તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે મહિલા તેના પિયર હોય અને કિશોરને પોતાના પતિ તરીકે રાખવા માંગતી હોય અને પરત ન આપવા માંગતી હોવાનું સામે આવ્યું છે. ફતેપુરા ગામમાં 14 વર્ષના સગીરને 6 સંતાનની માતા ભગાડી જતા સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

