Monday, February 17, 2025
HomeGujaratસક્કરબાગમાં વધુ સિહણે આપ્યા 5 સિંહ બાળને જન્મ

સક્કરબાગમાં વધુ સિહણે આપ્યા 5 સિંહ બાળને જન્મ

જૂનાગઢ સક્કરબાગમાં ચાલતા સિહ બ્રીડીંગ સેન્ટરમાં દર વર્ષે મોટી સંખ્યામાં સિંહ બાળના જન્મ થતા હોય છે.ગયા વર્ષે સક્કરબાગમાં અલગ અલગ સિંહણે સિંહ બાળને જન્મ આપ્યા હતા. તો આ વર્ષે પણ ડી 9 સિંહણે વધુ 5 સિંહ બાળને જન્મ આપ્યો છે. ડી નાઇન સિંહણ અને એવન સિંહ બન્ને વર્ષો પહેલા સક્કરબાગમાં જન્મ્યા હતા.ખાસ કરીને એકી સાથે 5 સિંહ બાળનો જન્મ એ રેરેસ્ટ ઓફથી રેર કેસમાં ગણાય છે. આ સાથે સક્કરબાગમાં વર્ષમાં જન્મ લેનાર સિંહ બાળની સંખ્યા 24 એ પહોંચી છે.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ડી નાઇન સિંહણ અને એ વન સિંહના મેટીંગથી મંગળવારે વ્હેલી સવારે 5 સિંહ બાળનો જન્મ થયો છે.તેમ અત્રે ઉલ્લેખનીય છે કે ડી નાઇન સિંહણે અગાઉ 3 સિંહ બાળને જન્મ આપ્યો હતો. આમ,ડી નાઇન અત્યાર સુધીમાં 8 સિંહ બાળની માતા બની છે.

એક વર્ષમાં 24 સિંહબાળ જન્મ
એક વર્ષમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 24 સિંહ બાળનો જન્મ થયો છે. સામે એનીમલ એક્ષ્ચેન્જ હેઠળ એક વર્ષમાં 6 સિંહ પટના અને 3 દિલ્હી મળી કુલ 9 સિંહોને અન્ય સ્થળે મોકલાયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW