Tuesday, February 17, 2026
HomeGujaratકોચ તરીકેનો સંદેશો મળ્યા બાદ રાહુલ દ્રવિડે કહી મોટી વાત

કોચ તરીકેનો સંદેશો મળ્યા બાદ રાહુલ દ્રવિડે કહી મોટી વાત

પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે હવે રવિ શાસ્ત્રીનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ ICC T20 વર્લ્ડ કપ પછી પુરો થાય છે. આ જાહેરાત સંપૂર્ણપણે અપેક્ષિત હતી કારણ કે મહાન બેટ્સમેનને બોર્ડના ટોચના અધિકારીઓએ સમજાવ્યા હતા. નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા તરીકે સેવા આપી રહેલા દ્રવિડને 2023માં ભારતમાં યોજાનાર 50 ઓવરના વર્લ્ડ કપ સુધી બે વર્ષ માટે આ પદ પર નિયુક્ત કરાયા છે.ભારત માટે રમનાર દિગ્ગજ ખેલાડી 47 વર્ષીય દ્રવિડ બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહની પ્રથમ પસંદગી છે,

જેમણે તેમને આ પદ માટે અરજી કરવા માટે સમજાવવા દુબઈમાં તેમની સાથે વાત કરી હતી. ICC T20 વર્લ્ડ કપ પછી આઉટગોઇંગ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્તભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પ્રેસ રિલીઝ મુજબ, ક્રિકેટ સલાહકાર સમિતિએ બુધવારે સર્વસંમતિથી રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ સમિતિમાં સુલક્ષણ નાયક અને આરપી સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ ભારતીય સુકાની ન્યુઝીલેન્ડ સામેની આગામી ઘરઆંગણાની શ્રેણીથી આ પદ સંભાળશે.

BCCIએ 26 ઓક્ટોબરે આ પદ માટે અરજીઓ મંગાવી હતી કારણ કે ICC T20 વર્લ્ડ કપ પછી આઉટગોઇંગ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં ખૂબ સન્માન વાતઃ દ્રવિડે કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવી ખૂબ સન્માનની વાત છે અને હું આ જવાબદારી માટે તૈયાર છું. વર્તમાન ભારતીય ટીમને આ સ્થાને લઈ જવા માટે તેમણે તેમના પુરોગામી શાસ્ત્રીનો પણ આભાર માન્યો હતો. “શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ટીમે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને મને આશા છે કે ટીમ સાથે કામ કરીને આને આગળ લઈ જઈશ,

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page