Monday, May 12, 2025
HomeGujaratઅંતે અતિવૃષ્ટિથી નુકશાન પામેલ ખેડૂતોને મળશે સહાય સરકારે રાહત પેકેજ કર્યું જાહેર

અંતે અતિવૃષ્ટિથી નુકશાન પામેલ ખેડૂતોને મળશે સહાય સરકારે રાહત પેકેજ કર્યું જાહેર

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અનિયમિત વરસાદથી કૃષિ પાકને મોટા પાયે અસર થઈ હતી હજુ આ માર ઓછો હોય તેમ મેઘરાજાએ સૌરાષ્ટ્રના ૪ જીલ્લા એવા રાજકોટ,જામનગર જુનાગઢ અને પોરબંદરમાં થયેલા અતિભારે વરસાદના કારણે અનેક ગામમાં મોટા પાયે વરસાદી પાણી ખેતરમાં ઘુસી ગયા હતા અને બચેલા પાકને પણ ધમરોળી નાખ્યો હતો.અલગ અલગ સંગઠનોની માંગણી બાદ રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.આં અંગે સીએમ ભુપેન્દ્ર પટેલે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ કૃષિ પેકેજ અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતના પાક નુકશાનને ધ્યાનમાં લઇ ઉદારતમ ધોરણે સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે. ખેડૂતોને પાકમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકશાન થયું હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ રૂપિયા 13 હજારની સહાય ચુકવવામાં આવશે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો


જામનગર,રાજકોટ જુનાગઢ અને પોરબંદર સહિતના જીલ્લામાં સપ્ટેમ્બર 2021 થયેલા ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ઉદ્ભવી છે જેને ધ્યાને લઈ નુકશાનગ્રસ્ત વિસ્તારના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજ આપવામાં આવ્યું છે.
આવા અસરગ્રસ્ત વિસ્તારમાં જે ખેડૂતોને પાકમાં નુકશાન થયું છે.તેવા ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા પ્રતિ હેક્ટર 13,000 સહાય ચૂકવશે આ સહાય એસડીઆર એફના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈ મુજબ બિન પિયત પાલ તરીકે વધુમાં વધુ બે હેક્ત્રીની મર્યાદામાં હેક્ટર દીઠ રૂ.6800 આપશે
બાકીના તફાવતની હેક્ટર દીઠ રૂ.6200 અને મહતમ બે હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી ચુકવવાની રહેશે.

જો જમીનધારકતા ના આધારે એસડીઆરએફના ધોરણો મુજબ 5 હજાર કરતા ઓછી રકમ સહાય ચુકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ 5 હજાર ઓછામાં ઓછા ચૂકવશે.અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચુકવવાની રહેશે.

સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવી પડશે
રાહત પેકેજનો લાભ મેળવવા માટે તા 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ડિજિટલ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.આવી અરજી નિશુલ્ક રહેશે.લાભ મેળવવા પાત્ર ખેડૂતોએ 8-અ, તલાટીનો વાવેતરનો દાખલો 7-12, આધારકાર્ડ,બેંક ખાતાની વિગતો સાથેની પાસબુક નકલ,મોબાઈલ નંબર,તેમજ સયુક્ત ખાતેદારોના કિસ્સામાં એક જ ખાતેદારને લાભ અપાય અને તે અંગેની અન્ય ખાતેદારોને લાભ અપાય તે અંગેની અન્ય ખાતેદારોની સહી સાથેનું એનઓસી વગેરે સાથે ટીડીઓની નિયત નમુનામાં અરજી કરવાની રહેશે .

ખાતેદારનું મૃત્યુ થયું હોય તો વારસદારને સહાય
એક આધાર નંબર દીઠ એક જ સહાય મળવાપાત્ર થશે આધાર નંબર ન હોય તો આધાર કાનુનમાં નિયત જોગવાઈ મુજબના જરૂરી દસ્તાવેજ સહાય માટે રજુ કરવાના રહેશે. ખાતેદારના મૃત્યુના કિસ્સામાં તેના વારસદારોએ પેઢીનામુ રજુ કરવા પડશે.અને કોઈ એક જ વારસદાર સહાય પાત્ર બનશે.અને તે અંગે અન્ય વારસદારો તથા ખાતાના અન્ય ખાતેદારોએ સંમતિનું સોગંદનામું આપવું પડશે,વન અધિકાર પત્ર સનદ હેઠળ મેળવેલી જમીનના ખેડૂતોને પણ વન વિસ્તારના ગામમાં ખેતી કરતા અસરગ્રસ્ત ખેડૂતોને પણ જરૂરી આધાર પુરાવા રજુ કર્યેથી સહાયનો લાભ મળશે.સરકારી સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે નહી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,961FollowersFollow
2,880SubscribersSubscribe

TRENDING NOW