HomeGujaratમોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન

મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન

મોરબીના રવાપર ઘુનડા રોડ સ્થિત રામેશ્વર ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવ તારીખ 14 સપ્ટેમ્બર 2026, સોમવારથી શરૂ થઈને 25 સપ્ટેમ્બર 2026, શુક્રવાર સુધી ચાલશે.

પટેલ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ કમિટી દ્વારા મોરબીના તમામ ધર્મપ્રેમી જનતાને ગણપતિ બાપ્પાના દર્શન તેમજ મંગળકારી આશીર્વાદ મેળવવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કાર્યક્રમની વિગત:

  • આયોજન સ્થળ: રામેશ્વર ફાર્મ, નવજીવન સ્કૂલની બાજુમાં, રવાપર ઘુનડા રોડ, મોરબી

  • આરતીનો સમય: દરરોજ સાંજે 7 કલાકે

  • દર્શનનો સમય: દરરોજ સાંજે 7 થી 11 વાગ્યા સુધી

  • મહાઆરતી તથા વિસર્જન: તારીખ 25 સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ બપોરે 12 કલાકે

મહોત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ સુગમતાથી દર્શન કરી શકે તે માટે કમિટી દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,630SubscribersSubscribe

TRENDING NOW