ટંકારા તાલુકાના ઓટાળા ગામની હદમાં, નેસડા તરફ જતાં કાચા માર્ગ પર આવેલા બાર નાળાની નજીક પાણીથી ભરાયેલ એક ઊંડો ખાડો આવેલો હતો. આ ખાડામાં નેસડા (સુરજ) ગામના રહેવાસી ગીરીશભાઈ ઉર્ફે ગીલો રામજીભાઈ કાસુંદ્રા (ઉંમર 45 વર્ષ) કોઈ અજાણ્યા કારણોસર પડી જતા ડૂબી ગયા હતા.
પાણીમાં ડૂબી જવાથી શ્વાસ રૂંધાઈ જતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતાં ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધ્યો હતો અને ઘટનાના કારણોની વધુ તપાસ શરૂ કરી છે.

