મોરબી મહાનગરપાલિકા દ્વારા મહેન્દ્રનગર વિસ્તારમાં વરસાદી પાણીના અસરકારક નિકાલ અને આધુનિક શહેરી સુવિધાઓને ધ્યાનમાં રાખીને અંદાજિત રૂ. 3.81 કરોડના સ્ટ્રોમ વોટર તથા ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે તેમજ નાગરિકોને વધુ સારી સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનશે. સાથે જ વિસ્તારના સર્વાંગી વિકાસને પણ નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વોર્ડ નંબર-03ના કોર્પોરેટર જીગ્નેશભાઈ કૈલા, ભૂપેન્દ્રભાઈ જારીયા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, રમાબેન બોપલીયા, પૂર્વ કાઉન્સિલર પ્રકાશ ચબાડ સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


