મોરબીના મહેન્દ્રનગર પ્રભુ કૃપા રેસીડેન્સી રોયલ પાર્કમાં રહેતા સુંદરજીભાઈ દેવજીભાઈ જશાપરાએ આરોપી રાજુભાઇ તન્ના અને ચાંદનીબેન રહે. બંને અમદાવાદવાળા સામે સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી સુંદરજીભાઈના દિકરા રાહુલ સાથે આરોપી રાજુભાઈ ઠકકરે આરોપી ચાંદની સાથે લગ્ન રજીસ્ટ્રાર કરાવી લગ્ન પેટેના ખર્ચના કુલ રૂ. 3,00,000 ઓળવી જઈ આરોપીના ફરીયાદીના ઘરે ત્રણ દિવસ રોકાયને પોતાના પિતાનુ મરણ ગયેલ હોવાનુ બહાનુ કરી જતા રહેલ બાદ પાછા નહિ આવી આરોપી ચાંદનીના અન્ય જગ્યાએ લગ્ન કરાવી દઈ ફરીયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

