માળિયા મિયાણા તાલુકાના વેજલપર ગામમાં ગતતા 9 અને 10ની રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને એક સાથે ત્રણ ઘરને નિશાન બનાવ્યા હતા જેમાં એક ઘરમાં થી રૂ.38 હજાર રોકડ જયારે બીજા ઘરમાંથી રૂ 10 હજાર રોકડ એમ કુલ 48 હજારની ચોરીની ઘટના બની હતી આ ઉપરાંત ગામના ગૌતમભાઈ ભરવાડનું બાઈક પણ આ શખ્સચોરી કરી લઇ ગયા હતા આ બનાવમાં માળિયા મિયાણા પોલીસેકિશોરભાઈ અંબારામભાઈ ભોરણીયા નામના ખેડૂતની 5 દિવસ બાદ ફરિયાદ આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

