નવરાત્રી પર્વની પુર્ણાહુતી સાથે ગુરુવારે મોરબી જિલ્લામાં ઉત્સાહ પૂર્વક વિજયા દશમી પર્વની ઉજવણી થશે. મોરબી મનપા બન્યા બાદ પ્રથમ વખત રાવણ દહન કાર્યક્રમ યોજાશે. જેમાં 35 ફૂટ ઉચાઇના રાવણ તૈયાર કરવામાં આવશે. આ પૂર્વે ત્યાં રામલીલા ભજવશે નાટક કલાકારો દ્વારા રામાયણના વિવિધ પાત્રો ભજવશે રાત્રે 7 વાગ્યે રાવણ દહન કરાશે તંત્ર દ્વારા સુરક્ષાને લગતા જરૂરી તૈયારી કરી છે, ખાસ કરીને આગની ઘટનાને ધ્યાને રાખી ફાયર બ્રાઉઝર પણ તૈનાત કરાયું છે.

