મોરબી રાજકોટ હાઇવે પર ગત તા.- 25/10/2024ના રોજ બપોરના સમયે ગોપાલભાઇ ગજેરા તેનું GJ-36-AB-3318 નંબરનું બાઈક લઇ મિતાણા ગામથી આગળ દિવ્યશક્તિધામ બહુચરમાતાના મંદીરની સામે રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હોય તે દરમિયાન કોઈ GJ-03-EC-6513 નંબરની સ્વીફ્ટ કાર પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઈકને હડફેટે લેતા ગોપાલભાઇ ગજેરાને ગંભીર ઈજા પહોચી હતી. જે બાદ તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ ટંકારા પોલીસ મથકમાં તે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધવી છે.

