આહીર સેના ગુજરાત મોરબી જીલ્લા દ્વારા સંચાલિત આહીર સમાજ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪માં ભવ્ય સફળતા મળ્યા બાદ આહીર સેના મોરબી જીલ્લા દ્વારા તારીખ: 17/10/2024ને ગુરુવારે શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આહિરાણી મહારાસ દ્વારા વિશ્વ લેવલે પ્રસિદ્ધિ મેળવેલ મહારાસ સોંગના સિંગર ભાવેશ રામ આહીર, જાહલબેન આહીર તથા રવિ આહીર {બિરાદર} વગેરે કલાકાર રમઝટ બોલાવશે. આ આયોજન આહીર સમાજ માટે આવકાર્ય છે. આહીર સમાજના ભાઈઓ તથા બહેનોને પરંપરાગત પહેરવેશ સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

