માળીયાના કુંભારીયા ગામે રહેતા મનહરભાઈ કરશનભાઈ લોરિયા નામના વૃદ્ધાએ કુંભારીયા ગામની સીમમા નર્મદા કેનાલ પાસે આવેલ પોતાના ખેતરે પિયત કરવા માટેની ઈલેકટ્રીક મોટર રીપેર કરતી વખતે અકસ્માતે ઈલેકટ્રીક શોક લાગતા વૃદ્ધાને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે માળીયા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

