વાંકાનેરના મક્તાનપરમાં રહેતા રાધીકા પરબતભાઇ પાંચીયાને તેની માતાએ રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા દીકરીને લાગી આવતા પોતાની જાતે ચુંદળી વળે ગળેફાસો ખાઇ લેતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે ડો. જાવિદે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ શરુ કરી છે.

