મોરબીમાં આવેલ મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર રીતે દીવાલ બાંધકામ મુદે મોરબી નગરપાલિકાએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વહીવટદાર સહીત 12 અસામીઓને નોટિસ ફટકારી અને બે દિવસમાં તમામ બાંધકામ દુર કરવા આદેશ આપ્યો છે અને જો ચોમાસામાં મચ્છુ નદીમાં પૂર આવે અને જાનહાની થાય તો સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તા જવાબદાર રહેશે તેવું જાણવા મળ્યું છે.આ ગેરકાયદેસર રીતે મંદિરના બાંધકામ ને લઇ મોરબીના જાગૃત લોકોએ ફરિયાદ કરતા જિલ્લા કલેકટર સહિતના કર્મચારીઓ દોડતા થયા હતા અને તપાસના આદેશ આપવામાં આવતા મોરબી નગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામ થયું હોવાનું સ્પષ્ટ બનતા મોરબી પાલિકા દ્વારા નદીના પટમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ બે દિવસમાં સંસ્થાના ખર્ચે દુર કરવાની કામગીરી શરૂ કરવા સુચના આપવામાં આવી હતી. તેમ છતાં પણ બાંધકામ દૂર થયું નથી.આમ ફરી તંત્રએ સ્વામિનારાયણ મંદિરનું ગેરકાયદેસર બાંધકામ બે દિવસમાં હટાવવા ફરી નોટિસ ફટકારી છે.