26 જાન્યુઆરી 2001માં આવેલા ભૂકંપની 23 મી વરસી ના બે દિવસ બાદ ફરી એકવાર કચ્છ અને મોરબી જિલ્લાની ધરતી ધ્રુજી ઉઠી હતી કચ્છના ભચાઉ તાલુકાના સાંજે4:45ની આસપાસ અચાનક ધરતી ધ્રુજી ઉઠી હતી અને એની અસર મોરબી જિલ્લામાં પણ જોવા મળી હતી. માળીયા મિંયાણા શહેર, તાલુકો તેમજ મોરબી શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.સાંજના સમયે ધરતી ધ્રુજી ઉઠી હતી ગુજરાત સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ ગાંધીનગર ના વેબસાઇટ મુજબ ભૂકંપ 4.4ની તીવ્રતા નો હતો અને તેનું કેન્દ્ર બિંદુ ભચાઉ તાલુકામાં નોંધાયું હતું.આં વખતે ભૂકંપ નું કેન્દ્ર બિંદુ મોરબી જિલ્લા નજીક હોવાની સાથે તીવ્રતા વધુ હોવાથી તેની અસર મોરબી જિલ્લામાં નોંધાયો હતા.

