મોરબી જેતપર રોડ પર બેલા ગામની સીમમાં આવેલા ઓમ કોમ્પ્લેક્ષમાં આવેલી શિવ કિરાણા સ્ટોર નામની દુકાનમાં મહેશ દામજીભાઈ ચૌહાણ નામનો દુકાનદર આયુર્વેદિક શિરપની બોટલનું ગેર કાયદે વેચાણ થતું હોવાની બાતમી આધારે મળી હતી જેન આધારે તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો.દુકાનમાંથી રૂ 12000ની કિમતની 80 બોટલ આયુર્વેદિક બોટલ મળી આવી હતી આં આ જ કોમ્પ્લેક્ષમાંથી કિરણ બચુભાઈ અખિયાણી નામના શખ્સ પાસેથી પોલીસે રૂ 3000ની કિમતની આયુર્વેદિક શિરપ ના નામે વેચાતી 20 બોટલ પકડી પાડી હતી બનાવ અંગે બન્ને સ્થળમળી કુલ 100 બોટલ આયુર્વેદિક શિરપ જપ્ત કરી તેમાં આલ્કોહોલની માત્રા તપાસવા એફ એસ એલમાં મોકલી દેવામાં આવી હતી

