મોરબીના ખાનપર ખાતે ખેત મજુરી કરવા આવેલા છોટા ઉદેપુરના દંપતી વચ્ચે થયેલ ઝઘડા બાદ પતિએ દાતરડાના ઘા ઝીકી પત્ની ઝીણકીબેનની હત્યા કરી મૃતદેહ છોટા ઉદેપુર જિલ્લામાં લઇ ગયો હતો જ્યાં અંતિમ વિધિ સમયે મૃતકના પીયરીયા વચ્ચે ઝઘડો થતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો જે બાદ છોટા ઉદેપુર જિલ્લાના ઝોઝ પોલીસ મથકની ટીમે મૃતકના ભાઈની ફરિયાદ લઇ આરોપી પતિ રેમલાભાઈ નાયકની સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપીનો કબજો મેળવી મોરબી પોલીસ લાવી હતી

