મોરબીમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશના સંચાલક અજય લોરિયા અને તેની ટીમ દ્વારા દર વર્ષે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ ઉજવણીનો ઉદેશ ભારતીય સેનામાં શહીદ થયેલા પરિવારને આર્થિક મદદ કરી માતૃભુમીનું ઋણ ચુકવવા તેમજ ગૌશાળાની ગાયના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે. નવ દિવસના આ નવરાત્રી મહોત્સવથી રૂ34.80 લાખનો ચોખ્ખી આવક થઇ હતી આ આવક થકી નવરાત્રી મહોત્સવ દ્વારા દરરોજ દેશ માટે શહીદ થયેલા પરિવારને આર્થીક સહાય હતી અને 9 દિવસ દરમિયાન કુલ 16 શહીદને રૂ 19.56 લાખ જેટલી રકમ ચૂકવી હતી આ ઉપરાંત શહેર નજીક આવેલા માધવ ગૌ શાળાની ગાયોના લાભાર્થે 11,11,111 કર્તવ્ય જીવ દયા કેન્દ્ર ને 2,22,222 તેમજ યદુનંદન ગૌ શાળાને 1,11,111 તેમજ અનાથ આશ્રમમાં 1,11,111 જેટલી રકમ ચૂકવી હતી

