મોરબીમાં બિપરજોય વાવાઝોડાં ને પગલે થયેલા વરસાદને પગલે શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં હતાં.શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરી ગયા છે જોકે હજુ લાતી પ્લોટ વિસ્તાર હજુ પાણીમાં તરબોળ છે તંત્ર દ્વારા ભૂતકાળમાં અનેક વખત આ વિસ્તારને સુવિધા યુક્ત બનાવી દેવાની ખાતરી આપી હતી પરંતુ આજ દિન સુધી આં ખાતરી જમીન પર સાચી સાબિત થઈ નથી વરસાદ વિતી ગયા ના 3દિવસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં આજ દિન સુધી અહીથી પાણી ઓસર્યા નથી હજુ એટલું બાકી હોય તેમ ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ ન થવાં થી આં પાણી પણ રોડ પર ફરી વળ્યા છે જેના કારણે મૂશ્કેલી બેવડાઈ છે

